પછી ચંદ્રકાન્તભાઈના માતા સવિતાબા અને બીજા બે કાકીઓ પણ જ્ઞાન લેવા માટે આવ્યા. પછી દાદાશ્રીના ભાગીદાર ને ભાગીદારના દીકરા વગેરે જોડાતા ગયા અને ટોળું જામતું ગયું અને જ્ઞાન બહાર પડી ગયું, ઉઘાડું થઈ ગયું.
દાદાશ્રી જણાવે છે કે જો આ વાત ચંદ્રકાન્તભાઈએ બહાર ન કાઢી હોત તો એમના ભાગીદારના દીકરાઓમાંથી કોઈ કાઢત. કારણ કે એમની નજીકમાં જન્મેલા ‘ભવ્ય જીવો’ કહેવાય કે જેમને ઘેર બેઠાં જ નિમિત્ત મળી આવે. પણ આમાં નિમિત્ત ચંદ્રકાન્તભાઈ બની ગયા, એમણે આ જ્ઞાન ઓપન કરાવ્યું.